Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં સિંધી સમાજ દ્વારા ચેટીચંડ ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે:દરિયાલાલ નું પૂજન,મહા આરતી,મહા પ્રસાદી સહિતના કાર્યક્રમ યોજાશે

પોરબંદર

પોરબંદર ખાતે સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ ઝૂલેલાલ ભગવાન ની જન્મજ્યંતિ અને નવું વર્ષ એટલે કે ચેટીચંડની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

જેમાં સવારે 6-૩૦ કલાકે પ્રભાતફેરી,દરિયાલાલની પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે.જે સિંધુ ભવન થી પેરેડાઇઝ ફુવારા થઇ ને કનકાઈ મંદિર ગેઇટ ચોપાટી સુધી જશે.અહી પૂજા અર્ચના,અખો પલ્લવ સહિતના કાર્યક્રમ યોજાશે.ત્યાર બાદ ૧૦-૩૦ વાગ્યે સિંધુ ભવન ખાતે ધ્વજારોહણ,ભજન,પૂજા આરતી સહિતના કાર્યક્રમ યોજાશે.ત્યારબાદ ઝૂલેલાલ મંદિર ખાતે સાંજે 4 થી 5 ભજન કીર્તન આરતી સહિતના કાર્યક્રમ યોજાશે.સાંજે 5-૩૦ કલાકે શોભાયાત્રા નું આયોજન કરાયું છે.જે પ્લાઝા ટોકીઝ સિંધી લાઈન થી નાનો ફુવારો,મોટો ફુવારો થઇ જુરીબાગ થી કનકાઈ મંદિર થઇ ચોપાટી ખાતે પૂર્ણ થશે.ત્યાર બાદ રાત્રે 8-૩૦ થી ૧૧ વાગ્યા સુધી સિંધુ ભવન ખાતે ભંડારો,મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે.સમગ્ર ઉજવણી માં સિંધી સમાજ પોતાના વેપાર ધંધા બંધ રાખી પરિવાર સાથે ઉત્સાહ પૂર્વક જોડાશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે