Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના લોકમેળા માં અનેરો સેવાયજ્ઞ :દરરોજ બે હજાર થી વધુ લોકો નો જઠરાગ્ની ઠારવાનું સેવાકીય કાર્ય :જુઓ આ વિડીયો

પોરબંદર
પોરબંદર માં વરસો સુધી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના સબંધીઓ ને હાથે રોટલા ઘડી અને ખવડાવનાર સ્વ રસીકબાપા રોટલાવાળા ના ટ્રસ્ટ દ્વારા વરસો થી પોરબંદર ના લોકમેળા દરમ્યાન અન્નક્ષેત્ર નો અનેરો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે. દર વરસ ની જેમ આ વખતે પણ પોરબંદર ના લોકમેળા નજીક જીએમબી કચેરી ના પટાંગણ માં આજ થી તેમની સંસ્થા દ્વારા વિનામૂલ્યે અન્નક્ષેત્ર શરુ કરવામાં આવ્યું છે
સામાન્ય રીતે લોકો મેળામાં મોજ શોખ અને પરિવાર સાથે આનંદ માણવા જતા હોય છે, પરંતુ ઘણા લોકોનું જીવન સેવામાં જ વીત્યું હોય તેઓ સેવા કરવા હંમેશા તૈયાર રહે છે. પોરબંદરના સેવાભાવી સંત રસીક બાપા રોટલા વાળા કે જેઓએ વરસોથી મેળામાં વિના મુલ્યે અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું. આજે રસીક બાપા હયાત નથી, આમ છતાં તેમનુ આ કાર્ય હજુ અવિરત ચાલુ છે.
અન્નપૂર્ણા માતાજી લોકોના જઠરાગ્નિ ઠરાવતા હોય તેવું માનવામાં આવે છે અને ભુખ્યાને અન્ન આપીને તેને સંતોષ થાય છે ત્યારે ગાંધીભૂમિ પોરબંદરમાં અન્નપૂર્ણાની અનોખી ભૂમિકા ભજવનાર સ્વ રસીક્બાપા રોટલાવાળા ના ટ્રસ્ટ દ્વારા સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ તથા તેના સગાવ્હાલાઓને ભોજન શોધવા જવું પડે નહી તે માટે હોસ્પિટલની અંદર જ સવાર સાંજ બંને ટાઈમ ભોજન પુરૃ પાડવાનો મહાયજ્ઞ અવિરત ચાલુ છે. ત્યારે પોરબંદર ના જન્માષ્ટમી લોકમેળા માં છેલ્લા પંદર વરસ થી જીએમબી કચેરી ના પટાંગણ માં મેળા માં   ફરવા આવતા લોકો તેમજ મેળા ના ધંધાર્થીઓ માટે વિનામૂલ્યે અન્નક્ષેત્ર શરુ કરવામાં આવે છે આ વખતે પણ આજ થી આ અન્નક્ષેત્ર ચાલુ કરાયું છે જે અગિયારસ સુધી ચાલશે અહી દરરોજ ફરાળ સહીત વિવિધ ભોજન લોકો ને આપવામાં આવે છે અને મેળા માં ફરવા આવનાર તેમજ ધંધાર્થીઓ સહીત દરરોજ બે હજાર થી વધુ લોકો આ અન્નક્ષેત્ર નો લાભ લે છે ટ્રસ્ટી ભાવિનભાઈ સામાણી એ જણાવ્યું હતું કે સંસ્થા ના ૨૫ જેટલા સભ્યો છે જે લોકમેળા ની મોજ માણવા ના બદલે અહી અન્નક્ષેત્ર માં સેવા કરે છે
જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે